આ જીવને આ લોક ને નાત-જાતનું જેટલું દઢ થઇ ગયુંછે. એટલું ભગવાનની કોરનું દઢ નથી થાતું. તે તો જો પાકો વિચાર કરે તો થાય. તે ઉપર એક સાધુએ પૂછ્યું જે,‘એવો વિચાર કયારે થાશે ?’ તો કહેઃ ‘જો એવો ખપ હોય ને કરવા માંડે તો થાય.’ તે ઉપર વાત કરી જે, એક દી મહારાજ કહેઃ ‘ભાઇ, કોઇ દી આખો ને એક રાત આખી જો અખંડ ભજન કરે તો તેને ભગવાન દેખાય.’ પછી એક ભકતે દી આખો ભજન કર્યું ને રાતે કરવા માંડ્યું તે નિદ્રા આવવાની થઇ એટલે ઘંટીએ દળીને પણ આખી રાત ભજન કર્યું, પછી તેને ભગવાન દેખાણા. ।।૨૩૭।।