અને આજ્ઞા લોપાય કે દુઃખ આવે છે. તે તાવ આવે ત્યારે દેહ બળે, ને આજ્ઞા લોપાય ત્યારે તો દેહ ને જીવ બેય બળે.એ તો માવાભાઇએ ખોળી કાઢ્યું, ભગવાન ને સાધુ તો આડાતે આડા જ –

વંકા આગે વંકડા, તરવંકા આગે ચોવંક;

શીળા આગે પાધરા , ને રંક આગે રંક.

પછી એમ બોલ્યા જે, ‘આજ્ઞામાં જેટલો ફેર પડે છે તેટલીએ વાંકાઇ; માટે દુઃખ દેખે.’ ।।૨૪૦।।