જુઓને ! વિષય તો એવા બળિયા છે, તે લોયાના ૧૭માંવચનામૃતમાં કહ્યું જે, ‘વિષય ખંડન કરે તો મુકતાનંદસ્વામી સરખાનું પણ શસ્ત્રે કરીને માથું મુકાવી દે.’ એવી વાત છે.તે માટે ભલા થઇને સ્તુતિ તો રહી, પણ જો નિંદા ન થાય,તો જાણે સ્તુતિ જ છે; તે ઉપર સ્તુતિ-નિંદાનું વચનામૃત વંચાવીને કહ્યું કે આમ છે, માટે રોટલા ખાઇને પ્રભુ ભજી લેવા, એમાં માલ છે -અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુરનર મુનિ મહીં નહિ સુખ લેશા. ।।૨૪૩।।