છેલ્લા પ્રકરણનું બીજું વચનામૃત વંચાવ્યું તેમાં ‘સત્સંગે કરીને વશ થાઉં છું’ એ વાત આવી, એટલે બોલ્યા જે, ‘સત્સંગતે કિયો ? જે એકાંતિક સાધુમાં હેત. તે સાધુ કેવા ? તો ઉદ્ધવજેવા, પ્રહ્લાદ જેવા. એવા સાધુની સેવા કરે તો ભગવાનની સેવા કર્યા બરોબર ફળ થાય ને દૂવે તો ભગવાનને દૂવ્યા જેટલું પાપ લાગે.’ એમ મર્મમાં વાત કરી. ।।૨૪૫।।