આ જગતનું સુખ તો એવું છે જે, અક્ષરધામમાંથી મચ્છરિયું મૂતર્યું તે પ્રકૃતિના લોકમાં ટીપું પડ્યું, ને તેમાંથી વળી પાછું થોડુંક ટીપું પ્રધાનપુરુષના લોકમાં પડ્યું, ને તેમાંથી પાછું એમને એમ બીજા લોકમાં પડતે પડતે કાંઇક ઝણ આ બ્રહ્માંડમાં પડી, એ તે શું કેટલુંક કહેવાય ? તે માટે સર્વોપરી સુખ તો અક્ષરધામમાં છે, ત્યાં જાવું. ।।૨૯૧।।