એમ તો સૌને લખ્યું છે કે બાર મહિને એક મહિનો સાધુનો જોગ કરવો, તે વિના કસર નહિ મટે. ને ભાઇ ! રૂપિયા તો મળશે, પણ આ વાતો કયાં મળશે ? તે માટે વાતો સાંભળી લેવી. કોઇક કહેશે ‘ખરચીને વારંવાર વાવરીએ’ તો પણ શું ?એક રાળ ખરચે તો ચાર હજાર દઇએ, પણ આ જ્ઞાન સાંભળ્યા વિના કસર ન મટે, પણ કોઇ રહે નહિ. અરે ભાઇ ! કોઇ રહેતા હો, ને તમારે રળ્યામાં ખોટ આવતી હોય, તો એક મહિનો તો ધર્મવેરામાંથી કાપી લેજો. અરે, જો રહો તો એમ આંહીંથી દશ રૂપિયાનો મહિનો દઇએ, હવે ઠીક; કેટલાક રહેશો ? સુધા તો ચારસે જણ રહેશો તો પણ રૂપિયા તો ખૂટનારા નથી, પણ જ્ઞાન કેટલું થાશે. અરે, તમને જણાતું નથી પણ સોનાની મેડી હોય તો બાળીને આ વાતું સાંભળીએ. પછી આ વાતો દુર્લભ છે. ને દશોંદ-વિશોંદ તો મહારાજે પણ કહી છે . ને ન માનોતો એમ કહી છૂટીએ છઈએ. લાખ રૂપિયા ખરચે તેથી મનેતો આ મંદિરના રોટલા ખાઇને વાતું સાંભળે એ અધિક જણાયછે. આ વાતો કયાંથી મળે ? જે મરીને પામવા હતા, તે તો જીવતે જ સાધુ ને ભગવાન મળ્યા છે. ।।૨૪૭।।