જુઓને ! શાસ્ત્રમાં પણ કહ્યું છે અંબરીષ, નહુષ, ભરતજીને ચિત્રકેતુ એમણે ભગવાનને ભજવા સારુ ચક્રવર્તી રાજય ને સૌનો ત્યાગ કર્યો. ખપવાળાની વાત એમ છે બાજરો મળે તો તો પ્રભુ ભજવા ને ધીરે ધીરે વ્યવહાર છે તે ગૌણ કરી દેવો, ને ભગવાન મુખ્ય કરી દેવા. આ તો વ્યવહાર પ્રધાન થઇ ગયો છે, તે પ્રભુ શું સાંભરે ? ।।૨૪૯।।