પછી વળી એક વાત કરી જે, ‘એકવાર એમ ધોરાજીને પાદર બેઠેલ, ત્યાં ખાતરના ઢગલા પડેલ. પછી એક ખૂંટિયો હતો તે ધોડી ધોડીને માંહી માથું ખોસીને બે સૂંડલા જેટલી ધૂળપોતાને માથે નાખે, એમ જીવ-પ્રાણીમાત્ર ધૂળ ચૂંથ્યા વિના રહી શકતા નથી.’ ।।૨૫૨।।