પછી વળી લીલાની વાત કરી તેમાં કહ્યું જે, ‘મહારાજઆની ઉપર રાજી થયા, એમ પણ રાજી કહેવાય પણ એ જુદી રીતનું. ને જે સિદ્ધાંતનો રાજીપો તે તો પહેલા પ્રકરણના ઓગણીશના વચનામૃત પ્રમાણે, તે આજ્ઞા, ઉપાસના ને મૂર્તિમાં જોડાવું. તે આજ કરો કે લાખ જન્મે કરો, જયારે કરશો ત્યારે મહારાજ પાસે રહેવાશે ને મહારાજ પણ બીજી જે જે વાત કહે, તે પણ ત્યાં જાતી ઊભી રાખે, એ સિદ્ધાંત છે.’ ।।૨૫૪।।