શ્રાવણ વદિ નવમીને સોમવારે બ્રહ્મચારીને ત્યાં વાત કરી જે, જે કરવા માંડે તે થાય. ધ્યાન કરવું, ભજન કરવું, તે માણસ જાણે આફૂડું થાય, પણ આફૂડું તે કેમ થાય ? એ તો ભગવાનને સંભારે ને ભૂલે, વળી ધ્યાન કરે, વળી ભૂલીને સંભારે ને ભજન કરે, તો થાય. આ ‘ભણે તે ભૂલે,’ પણ હાથમાં જેણે મૂળગુંપાનું જ ઝાલ્યું નથી તે શું ભૂલે ?’ ।।૨૫૫।।