ત્યાં એક વેદિયે આવીને સ્વામીને રાખડી બાંધી, તે પછી વળી વાત કરી જે, ‘સગુણ-નિર્ગુણપણું હરિભકતને જાણ્યું જોઇએ, નીકર તો ગોથાં ખાય.’ તે ઉપર કારિયાણીનું આઠમું વચનામૃત વંચાવીને કહ્યું જે, ‘માતા જશોદાજીને મુખમાં બ્રહ્માંડ દેખાડ્યું ને અક્રૂરને શેષશાયીરૂપે દર્શન દીધું. ને અર્જુનને વિશ્વરૂપે દર્શન દીધું. એ બધું તો એનું કાર્ય ને કારણ તો શ્રીકૃષ્ણ પોતે,’એમ કહ્યું. ।।૨૫૬।।