સ્વામી કહે,‘વાંચો રુચિનું વચનામૃત.’ (લોયા-૧૪) તે રુચિ સારી થયા વિના ભગવાન પાસે રહેવાય નહિ. રુચિ સારી થયે સારું થાય ને ભૂંડી થયે ભૂંડું થાય. તે જુઓને, જેની રુચિ મળતી હોય તે તેની ભેળા બેસે છે ને સુવાણ પણ તો જ થાય છે. તે અફીણિયા હોય તે અફીણી ભેળા બેસે. એમ રુચિની વાત છે. ।।૨૯૨।।