એકવાર મહારાજે આનંદસ્વામીને પૂછ્યું જે, ‘તમને કોઇક ક્રિયામાં પ્રેરીએ તો કેમ થાય ?’ ત્યારે કહે જે, ‘તમે કહો તે પ્રમાણે કરું.’ પછી મુક્તાનદં સ્વામીને પૂછ્યું કે, ‘તમે કેમ કરો ? ’ત્યારે તે કહે જે, ‘હું તો એક હાથ વૃત્તિ બહાર કાઢું ને હાથ પાછી વાળું ત્યારે સુખ થાય.’ ને પછી સ્વરૂપાનંદસ્વામીને પૂછ્યું કે,‘તમારે કેમ ?’ તો તે કહે જે, ‘હું તો જે જે ક્રિયા કરું તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય.’ ત્યારે મહારાજ કહે, ‘એ તો અમને સમજાતું નથી.’ ત્યારે તે કહે જે, ‘જેમ તીરમાં લીંબુ પ્રોયું હોય ને તે તીર જયાં માંડે ત્યાં લીંબુ દેખાયછે, પણ નિશાન ન દેખાય, એમ તમારી મૂર્તિ દેખાય છે.’ત્યારે જુઓ ! એ પણ સ્થિતિ, માટે મૂર્તિ દેખાય તેવી સ્થિતિ કરવી, તે “નિજાત્માનં બ્રહ્મરુપમ્” એ શ્લોક પ્રમાણે કરવી. ।।૨૬૧।।