એક જણે સ્વામીને પૂછ્યું જે, ‘વચનામૃતમાં કયાંક આશરાનું બળ કહ્યું છે, કયાંક ધર્મનું, કયાંક વૈરાગ્યનું, કયાંક આત્મનિષ્ઠાનું ને કયાંક પાછી તે આત્મનિષ્ઠા ઉડાડી નાખી છે.એવા કૈંક ઠેકાણે અનંત સાધન કહ્યાં છે; તેમાં એકને વિષે સર્વે આવી જાય ને ઉત્તમ મોક્ષ થાય એવું એક કહો ?’ એટલે સ્વામીકહે જે,‘ઉપાસના હોય ને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય હોય તો બધાંઆવે. તેનું એમ થાય જે ઉદ્ધવના જેવી દાસત્વભકિત ને ગોપીઓના જેવો પ્રેમ ને શુકજી ને જડભરતના જેવો વૈરાગ્યએ હોય તેને પછી ઉપાસના સિદ્ધ થાય છે.’ ।।૨૯૩।।