બાજરો ભેળો કરીને ભગવાન ભજવા, બીજું કાંઇ ડોળ કર્યે પાર નહિ પડે અને રૂપિયા હશે તે મરી જાશું ત્યારે પડ્યા રહેશે એ કંઇ ઝાઝા કામના નહિ, જેટલા અવશ્ય જોઇએ તેટલાં ભેળા કરીને ભજન કરવું; ને ઝાઝા હશે તો કયાંયના કયાંય ઊડી જશે ને મૂળગી વાસના રહેશે. ।।૩।।