શુદ્ધ સ્વરૂપનિષ્ઠા રાખવી નીકર વાંધો ભાંગશે નહિ, એમ મહારાજે પણ કહ્યું છે. તે માટે આ પ્રગટ પુરુષોત્તમ શ્રીજીમહારાજ સહજાનંદસ્વામી તે સર્વે શ્રીકૃષ્ણાદિક જે અવતાર તેમના અવતારી ને સર્વેના કારણ ને સર્વેના નિયંતા છે એમા લેશ માત્ર ફેર નથી; એમ જાણીને કોઇ દેવદેવલાંનો ભાર પડવા દેવો નહિ ને પતિવ્રતાની રીત રાખવી તો ઠેઠ અક્ષરધામમાં પુગાશે. ।।૭।।