આ સત્સંગનો મહિમા તો અપાર છે; કેમ જે, બ્રહ્માંડબ્રહ્માંડ પ્રત્યે શ્રીકૃષ્ણાદિકની મૂર્તિઓ છે તેવા તો અનંત અવતાર થયા ને આપણને તો મહારાજ પુરુષોત્તમ મળ્યા છે. ને બીજા અવતાર જેવા તો આ સત્સંગમાં ઘણાક છે, એવો સત્સંગનો મહિમા સમજીને દઢ ઉપાસના કરવી. અને એવા જે પુરુષોત્તમતે તો આ એક જ છે. તેણે શુદ્ધ રીત પ્રવર્તાવી ને બીજાએ તોભેળું ને ભેળું બાઇ-ભાઇનું રાખેલ, પણ જુદારો ન પાડેલ, એવી રીતે પુરુષોત્તમપણાની ઘણીક વાત કરી. ।।૮।।