અને પદાર્થ ઝાઝાં ભેળાં ન કરવા નીકર, ઘણી મૂંઝવણથાવાની ને વાસના રહેશે. ને દેહ સારુ પદાર્થ છે ને દેહને તો વેરી જ કહ્યો છે, તે ભજન કરવા ન દે, વાંચવા ન દે તેવો છે; ને દેહાભિમાન મૂકયે સર્વે દોષ જાય છે, એ વાત કરીને તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે,‘મુકતાનંદસ્વામી જેવા હોય તે પણ પદાર્થનો જોગ થયે ઊતરતા જેવા રહે કે ન રહે’ બીજું સોળ સાધનનું વચનામૃત (ગ.અં.નુ ૨૪) વંચાવ્યું ને કહ્યું જે,‘તેણે કરીને અક્ષરધામ પમાય છે.’ ।।૯।।