વળી કહ્યું જે,‘અમારો વાંક કાઢશો મા, અમે કહી છૂટીએ છઈએ. કેમ જે, વૃદ્ધ થયા તે હવે નહિ રહેવાય; માટે કહીએ છઈએ જે, સમજીને શુદ્ધ વર્તજો, નીકર ઝાઝો ફેર પડશે. આ ઘડી જો હાથધોણું , આંકડી કે વાળો એવો રોગ થયો હોયતો રાત બધી જાગે; પણ અમથું એક ઘડી પણ ધ્યાનમાં ન બેસાય, ને રાત બધી ઊંઘી રહેવાય; એમ અષાઢ વદી છઠ્ઠને દિવસે વાત કરી. ને દેહ જ વેરી છે તે પોતાનું કરાવે, તે વિષ્ટાપર્યંત ધોવરાવે છે પણ ધ્યાન કરવા ન દે એવો છે. ।।૧૦।।