અને બ્રહ્મચારીને ત્યાં વાતો કરી જે, ‘વિષયથી બંધાણો તે બદ્ધ ને મુકાણો તે મુકત છે. તે માટે આપણે મુકાવું ને આ જુઓને, આંહીં વિષયનો જોગ નથી તેણે કરીને ઠીક રહે છે.પણ જો બરફીના ભરેલા સો પડિયા રોજ આવે તો ખાધા વગર ન રહેવાય, એવો જીવનો સ્વભાવ છે માટે એ તો ન આવે તો જ સારું છે.’ ।।૧૧।।