આ સત્સંગમાં તો સુખ છે, ને ધર્મ, ભકિત, જ્ઞાન ને વૈરાગ્ય જે જે સુકૃત છે તે સર્વ સત્સંગમાં છે, ને બીજે બધે સળગી ઊઠ્યું છે ને કોઇક તો પશુ જેવા છે; તે બોલતાં પણ આવડતું નથી ને વિવેક પણ કાંઇ નથી. માટે કુસંગનો જોગ થાય તો સત્સંગને ઘસારો આવી જાય, તે સારુ કુસંગ ન જ કરવો. ।।૧૨।।