દેશકાળાદિક આઠ શુભ છે ને અશુભ છે તે ઓળખવા;તે જયાં સંત રહેતા હોય તેટલો દેશ શુભ, ને બાકી તો અશુભ અરબસ્તાન ને મકરાણા એ આદિક ઘણાય છે. હવે કાળ શુભ છે તો ભગવાન ભજાય અને સુખિયા રહેવાય છે. ને મૃત્યુ પણ જેમ કાળ હોય તમે થાય; તે જુઓને આ વહાણ બૂડે છે ત્યારે તેમાં બસેં માણસ બૂડી મરે છે ને સુરત બળ્યું ત્યારે કેટલાક માણસ બળીમૂઆં; તે શું બધાયનું મૃત્યુ ભેળું જ હશે? એ ઠેકાણે તો અશુભ કાળ લેવો. ।।૧૩।।