અને આ દેહ ધર્યો છે તેણે કરીને તો ભગવાન ભજી લેવા.આ ભરતખંડમાં મનુષ્ય દેહ કાંઇ થોડા પુણ્યે આવતો નથી.તે દેવતા પણ કહે છે જે, –
અહો અમીષાં કિમકારિ શોભનં પસ્રન્ન રૂષાં સ્વિદતુ સ્વયં હરિઃ ।
યૈર્જન્મ લબ્ધં નૃષુ ભારતાજિરે મુકુંદસૈવોપયિકં સ્પૃહા હિ નઃ ।।
એ શ્લોક બોલીને કહે જે,‘એમ દેવતા પણ ઇચ્છે છે તે મળ્યો. ને વળી ભગવાન ને ભગવાનના સંત મળ્યા, એ કાંઇ થોડી પ્રાપ્તિ નહીં. જુઓને, દશ કે વીશ લાખ રૂપિયા હશે, તે કાંઇ ભેળા નહિ આવે, ને રૂપિયાવાળાને પણ એક શેર ઉપરાંત ખવાતું નથી ને જેને રૂપિયા ન હોય તેને પણ તેટલું જ ખવાય. માટે જોઇએ તેટલું ને કામ આવે તેટલું પેદા કરવું એ ઠીક છે.’ ।।૧૬।।