સત્યુગ, દ્વાપર, ત્રેતા ને કળિ એ ચાર યુગની એક ચોકડી,એવી એકોતેર ચોકડી એક ઇન્દ્ર રાજ કરે, એવા ચૌદ ઇન્દ્ર પડેત્યારે એક દિવસ વૈરાટનો થાય, ને એવા ત્રીશ દિવસનો એકમાસ, ને એવા બાર માસનું એક વર્ષ, એવાં સો વર્ષ થાય ત્યારેતે વૈરાટ પડે ત્યારે પ્રધાનપુરુષનો એક દિવસ થાય. ને એવાં સો વર્ષ થાય ત્યારે પ્રકૃતિપુરુષનો એક દિવસ થાય, ને એવા સો વર્ષ પ્રકૃતિપુરુષ જીવે, તો પણ એક દિવસ તેનો કાળ નાશ કરી નાખે છે. ત્યારે કહો, તેની આગળ આપણું શું આયુષ્ય, એટલા સારુ જીવ શું મારું મારું કરતા હશે ? કાંઇ છે જ નહિ માટે થોડાકમાં કામ સાધી લેવું, ને એવું મંડવું કે ‘અર્થં સાધયામિકે દેહં પાતયામિ’ ।।૧૮।।