પછી સ્વામીએ વાત કરી જે, ‘હું જયારે આઠ વર્ષનો હતો,ત્યારે પ્રથમ ગોસાઇની કંઠી બાંધી, તેમાં તો વ્યભિચાર ભાળ્યો.પછી ત્યાંથી પ્રણામીમાં ગયો, તો ત્યાં પણ એનું એ ભાળ્યું. પછી જયારે સત્સંગ મળ્યો, ત્યારે શાંતિ થઇ.’ એમ પોતાને મીષે કરીને બીજા બધાય મતમાં દોષ દેખાડી દીધા. ને પોતે તો સર્વે જાણતા જ હતા. ।।૨૦।।