અને સર્વે અવતારના કારણ પુરુષોત્તમ સહજાનંદસ્વામી છે, તેની ઉપાસનાએ કરીને તો ઠેઠ અક્ષરધામમાં જાય ને બીજા અવતારની ઉપાસનાએ કરીને તો તેના ધામમા જાય. જેમ હરિવર્ષખંડમાં પ્રહ્લાદ છે, તે વાત ભાગવતમાં કહી છે. જો રામચંદ્રજી જેવા મહારાજને જાણશે તો તે વૈકુંઠમાં જાશે, તેમાં ચાર હાથ તે મહા કૂટ્ય , એમાં શું ? એ તો કાંઇ ઠીક નહિ. ને શ્રીકૃષ્ણ જેવા જાણશે તો ગોલોકમાં જાશે, ત્યાં ગાયો, વાછરડાંને ગોપ-ગોપીઓ છે, તેમાં પણ શું ? માટે કયાંઇ અક્ષરધામનાં જેવું સુખ નથી. તે માટે મહારાજને પુરુષોત્તમ જાણવા તે વચનામૃતમાં પણ કહ્યું છે જે,”જેવો મને જાણશે તેવો હું તેને કરીશ.” તે પુરુષોત્તમ જાણવે કરીને અક્ષરધામમાં પુગાય. તે પાછો નાશ ન થાય ને બીજે તો પ્રકૃતિપુરુષ લગી કાળ ખાઇ જાય છે. ત્યારે એક જણે કહ્યું જે,‘જયાં ભગવાન રાખે ત્યાં રહેવું ને ભગવાનનાં ધામ તો બધાય સરખાં છે અમથાશું કૂટો છો?’ ત્યારે સ્વામી કહે,‘તારા ને ચંદ્રમા તે કાંઇ એક કહેવાય નહિ.’મહારાજે પણ કહ્યું જે,‘અવતાર-અવતારીમાં ભેદ એમ સમજવો જે; રાજા ને રાજાનો ઉમરાવ , તીર ને તીરનો નાખનારો એમ ભેદ છે,’ ઓલ્યો ઉમરાવ ઘણો ભારે હોય ને હુકમ ચલાવે એવો મોટો હોય, તો પણ રાજા પાસે જાય ત્યારે કેટલીક સલામ ભરે ત્યારે બેસાય ને રાજાનો એની ઉપર હુકમ ચાલે છે, એમ છે.’ તે ઉપર વચનામૃત વંચાવીને કહ્યું જે,‘બીજાં ધામને ને અક્ષરધામને તથા બીજા અવતાર ને મહારાજને એક સરખા કહે તેને પચં મહાપાપથી પણ વધુ પાપી જાણવો, ને એનો સગં ન કરવો.’એ વંચાવીને તેને પાછો પાડ્યો.’ ।।૨૧।।