એક જણે પ્રશ્ન પૂછ્યું જે, “મોટા સાધુને તો જીવને ભગવાનમાં અખંડ જોડવા છે. પણ કોઇકને અધિક આગ્રહ કરીને જોડે છે, ને કોઇકને તો સાધારણ વાતચીત કરે છે; તે એ જીવને શ્રદ્ધા મંદ છે કે કેમ છે ?” ત્યારે સ્વામી કહે,‘ઓલ્યાને પૂર્વના સંસ્કાર ભારે છે તેથી તેમને અતિ આગ્રહ કરે છે. તે મોટા સંતમાં ભગવાન પ્રેરક થઇને એને કરાવે છે. ને ઓલ્યાને સંસ્કાર પણ થોડા ને શ્રદ્ધા પણ થોડી.’ ત્યારે કહ્યું જે,‘કેમ શ્રદ્ધા વધુ થાય ?’ એટલે સ્વામી કહે,‘એને એમ જણાય જે, મોટા સંતબોલે છે તે કાંઇ માણસ નથી બોલતા. એ તો એમ જાણે જે ઇશ્વર બોલે છે. ને એને વિષે દેવબુદ્ધિ હોય, ને તેની પાછી સેવા-ભકિત કરે ને વિનય કરે તેણે કરીને શ્રદ્ધા થાય છે; પછી ભગવાનમાં જોડાય છે.’ ।।૨૪।।