અને જીવની ચાર ઘાંટી મેં વિચારી રાખી છે; તેમાં એકતો પુરુષોત્તમ જાણવા, બીજી સાધુ ઓળખવા, ત્રીજી પંચવિષયમાંથી પ્રીતિ ઊખેડવી ને ચોથી આ જીવ અને દેહ એક થઇ ગયાં છે, તેનાથી આત્મા નોખો સમજવો તે એ ચારે ઘાંટી જબરી છે. તેમાં બેનું કામ ભારે છે; એક તો પંચવિષયમાંથી પ્રીતિ ઊખેડવી ને બીજી દેહથી જીવ નોખો જાણવો એ. ।।૨૫।।