અને વરતાલથી પધાર્યાતે દિવસ સ્વામીએ વાત કરી જે,
આકુતિ-ચિતિ-ચાપલ્યરહિતા નિષ્પરિગ્રહાઃ ।
બોધને નિપુણા આત્મનિષ્ઠાઃ સર્વોપકારિણઃ ।।
એવા ચોસઠ લક્ષણ સાધુનાં હોય ત્યારે સાધુ થવાય. તે મહાપ્રલય સુધી ગોપાળાનંદસ્વામી, કૃપાનંદસ્વામી, સ્વરૂપાનંદસ્વામી ને મુકતાનંદસ્વામી જેવા સાધુનો અહોરાત્રી-નિરંતર સમાગમ કરે, ત્યારે પૂરો સાધુ થવાય. ને સાધુતા વગર સુખ આવે નહિ ને આત્યંતિક મોક્ષ પણ થાય નહિ. તે જેટલી કસર રહેશે તેટલી કસર ટાળવી પડશે. ।।૩૦।।