વિધાત્રાનંદસ્વામી વાળી પત્રી વંચાવીને બોલ્યા જે,‘આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઇ કરવું બાકી રહે નહિ. આ પત્રી ઉપર અચિંત્યાનંદબ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો છે. તેમાં સંપૂર્ણ વાત આવી ગઇ છે. અહો ! હમણાં ઘણી પ્રાપ્તિ છે,આવા સાધુ તો ભગવાન જેવા કહેવાય,‘પોતાનાં વખાણ પોતાને ન કરવાં’ એમ શિક્ષાપત્રીમાં કહ્યું છે; પણ કહ્યા વિના સમજાય નહિ. પછી બહુ ખોટ જાશે. ।।૩૧।।