આત્મનિષ્ઠા આવે તેણે કરીને સર્વે વાત થાય. તે ઉપર કહ્યું જે,

મરને આતસકા વરસે મહે રે તોય નવ દાઝે મેરા દેહ રે

મરને બારે મેધ આવી ઝુમે રે, તોય નવ ભીંજે મેરા રુમે રે.

એવી નિષ્ઠા જોઇએ. પ્રથમનું છવ્વીસમું વચનામૃત વંચાવ્યું ને કહ્યું જે, આ પણ એક નિર્ગુણભાવને પમાડે એવું છે. ‘ઉધો ! સોઇ સાચે મમ દાસ હે’ આ ચાર કીર્તન પ્રમાણે રહે તો સાચો ભકત કહેવાય. ।।૩૨।।