મહારાજે એમ કહ્યું જે, ‘જયારે ઇન્દ્ર કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય દેવતા જેવા થાય; અને બ્રહ્મા કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય ઇન્દ્ર જેવા થાય; અને વૈરાટ આવે ત્યારે એના શિષ્ય બ્રહ્મા જેવા થાય છે; ને પ્રધાનપુરુષ જયારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય વૈરાટ જેવા થાય; ને પુરુષ જયારે કલ્યાણ કરવા આવે ત્યારે એના શિષ્ય પ્રધાનપુરુષ જેવા થાય; ને અક્ષર આવે ત્યારે તેના શિષ્ય પુરુષ જેવા થાય; ને પુરુષોત્તમ કલ્યાણ કરવા આવે ત્યારે તેના શિષ્ય અક્ષર જેવા થાય; માટે અક્ષર આગળ તો કોઇ અવતારાદિકનું સમર્થપણું હોતું નથી.’એમ કહ્યું. ।।૩૭।।