સમૈયો હતો ત્યારે સત્સંગી સર્વે આવેલા; તેણે કહ્યું જે,‘અહો મહારાજ ! જેવી ગોપી-ગોવાળને પ્રાપ્તિ થઇ હતી તેવી અમને થઇ છે.’ ત્યારે મહારાજ કહેઃ ‘ના ના, ગોપી-ગોવાળને જે મળ્યા હતા તેના ભકતને તો આ ભગવાનનાં હજી દર્શન પણ નથી થયાં. ને તમારે તો બહુ મોટી પ્રાપ્તિ થઇ છે. ।।૪૧।।