ભકિતએ કરીને મહારાજ રાજી થાય છે, ને તેની આજ્ઞા છે એટલા સારુ કરીએ છઈએ; પણ એ સ્થૂળ માર્ગ છે. તેણે કરીને તો મોટાં લોકાંતરને પામશે; પછી મોટાના મોટા વૈભવને મોટા પાપ. તે જુઓને, આ ખંડેરાવ એક દિવસમાં જેટલું પાપ કરતાં હશે, એટલુ ગરીબ આખા ભવમાં પણ ન કરે.માટે આને આ દેહે કરીને ભકિત પણ કરતા જાવું, ને તે કરતાં થકા પણ અનુવૃત્તિ આત્માને વિષે રાખે જાવી.આત્મનિષ્ઠા જેવી કોઇ વાત નથી તે મનન દ્વારાયે ‘હું અક્ષર છું ને પુરુષોત્તમ મારે વિષે બેઠા છે’ એમ કરતા જાવું, એમ ઘણે ઠેકાણે મહારાજે કહ્યું છે. એ સૂક્ષ્મ ભકિત છે, તેણે કરીને આત્યંતિક મોક્ષને પામશે. પણ મોરે કહી જે ભકિત તે રૂપ સ્થૂળ માર્ગ તેણે કરીને આત્યંતિકી યત્ર ન મૃત્યુહાસઃ એવી મુકિત ન થાય. અને એવી ભકિત તો ચાર માણસ કરે એટલી પોતે એકલો માને કરીને કરે છે, તે સેવા કરે, પાણા ઉપાડે, રોટલા કરે, એ સર્વે ભકિતમાં માન મળે છે તેણે કરીને થાય છે ને કરે છે, પણ એણે કરી સિદ્ધ ન થાય. ‘કિયાં બાળપણાની રમત, કિયાં પામવો સિદ્ધોનો મત’ માટે જે દી તે દી આવાત કરશે ત્યારે છૂટકો છે. ।।૪૨।।