મહારાજે કીડિયારાના રોગનું (પ્ર.પ્ર.૧૮માં) પણ કહ્યું છે,માટે તેનો ત્યાગ કરીને વિવેક દશમો નિધિ કહ્યો છે તેનું ગ્રહણ કરશો તો સુખ થાશે. અહો ! જીવમાં અજ્ઞાનનો પાર નથી કારખાનામાં, રાજામાં ને પધરામણીમાં મંડ્યા છે, તે શું શુંકહીએ ? ઓલ્યા જગતની પેઠે સાંજે કથામાં બે વચનામૃત માંડમાંડ વંચાવે ને વળી પાછું તેનું તે, પણ તેણે કરીને ભગવાન રાજી ન થાય. માટે વિચારીને વર્તવું. ।।૪૪।।