વળી મહારાજે તો ‘પંપાળીને રાખે તેની પાસે રહેવું નહિ’ એમ કહ્યું છે. પછી સૂઝે તેમ કરો. અમે તો આત્માનંદસ્વામીબહુ ટોકતા તેની ભેળે રહ્યા; ને બ્રહ્માનંદસ્વામી ભેળે રહેતા તે નીકળ્યા. ને તે કહ્યા વિના ખોટ જાય નહિ. ને જયાં સારી સારી રસોઇ મળે ત્યાં વારે વારે જાય; પણ કેવળાત્માનંદસ્વામીતો જો કોઇ પાકી રસોઇનું કહે, તો તેને કહે જે,‘જૂનાગઢથી સ્વામીનો કાગળ મંગાવ્યો છે. તે આજ્ઞા આવશે ત્યારે લેશું,’એમ બહાના કાઢીને ચોખ્ખી ના કહેવી ને દાળ-રોટલા લેવા; ને પછી બે દિવસ રહીને ભાગી નીસરવું પણ ગળ્યાં, ચીકણાં,ચોપડ્યાં, વઘાર્યા, ધુંગાર્યા તે ખૂબ તડૂસીને સૂતા, તેણે કરીને વધશે કામ ને ક્રોધ. ને આપણે તો ધર્મામૃત, નિષ્કામશુદ્ધિ ને શિક્ષાપત્રી એ ત્રણ ગ્રંથ પ્રમાણે રહેવુ, એમ મહારાજે કહ્યું છે તે મહારાજની રુચિ પ્રમાણે રહેવું. ‘બ્રહ્માનંદ રહેનો ભલો રુખમેં ’એમ કહ્યું છે. તે ત્રણ ગ્રંથથી વધુ લૂગડું કે પદાર્થ રહેશે કે ખવાશે તો બંધન થાશે ને એનો તો આગળ જવાબ લેવાશે. ।।૪૮।।