પછી વળી રુચિનું વચનામૃત (લો.૧૪) વંચાવીને કહે જે,‘આ તો ખપવાળાને કહ્યું છે અને જેને ખપ નથી તે તો લાગ આવે ત્યારે જોઇ લે ને સ્વાદ કરી લે. એને તો એમ જ ભજન થાય જે, કયારે લાગ આવે એવા ને તો મહારાજે વચનામૃતમાં(મધ્ય. ૪૭) લબાડ જેવો ને કૂતરા જેવો કહ્યો છે. તે હેત હોય તેને આ વાત સારી લાગે; નીકર મરને લાખો વાતો કરીએ,પણ એમ ન થાય ને ન મનાય. ।।૪૯।।