વળી જેને સુખિયા થાવું હોય તેને તો સોળ વર્ષનો છોકરોથાય કે તુળસીને પાંદડે કરકાને (સ્ત્રીને) અર્પણ કરવો, એટલેથયું. અને એક પાંતિયે જીવને કયાં સમું છે ? મરે તો તે દુઃખિયોથાય. તે ઓલ્યા બ્રાહ્મણનો છોકરો મરી ગયો ત્યારે પોકે પોકેરુએ, ને બીજા પણ રોવરાવે જે, ‘બહુ ડાહ્યો હતો ને આ કરતો’એમ હજારો કહે. ત્યારે ભટ્ટજી ખરખરે ગયા, તે વળતે દિવસેનહાવા ગયા, નેકહ્યુંકે‘તું તો ખાતો-પીતો નથી તેશુંછે?આ તારો દીકરો મરી ગયો તે શું કાંઇ ઉદેપુરની ગાદી ખાલીથઇ ? આ એક બ્રાહ્મણ મૂઓ તો એક ખડિયો ઓછો, એમાંતે શું !’ પછી તો ઓલ્યે વિચાર્યું; ત્યાં તો કહે, ‘ખરું’ પછીકહે ‘હું તો પંદર દિવસમાં મરત, તે તમે જીવતો રાખ્યો’ એમછે. કાંઇ ખેડુ મલકમાં થોડા છે ? વાણિયા, સઇ, નાગર,સોની, લુવાર, કડિયા એ આદિકની કાંઇ ખોટ છે ? એમ જ્ઞાનશીખવું. ખજુરાનો પગ ભાંગ્યો તોપણ શુંને સાજો તોપણ શું?કૂકડા વિના વા’ણું નહિ વાય ? એમાં શું ? એમ વિચારીનેસુખે ભગવાનનું ભજન કરવું. ।।૫૨।।