જેને જે વહાલું હોય તે શિષ્યને દે છે; બાપને સ્ત્રી હૈયામાંછે તો તે છોકરાને હૈયે ઘાલી દે છે. એમ સાધુને વા’લા ભગવાનતે જીવના હૈયામાં ઘાલી દે છે. ને જેમ ખાધા વિના ભૂખ જાયનહિ; તાપ્યા વિના ટાઢ જાય નહિ; સૂર્ય વિના અંધકાર જાયનહિ; તેમ સમાગમ વિના અજ્ઞાન જાય નહિ. ભણેલો હોય તેભણાવે પણ અભણ શું ભણાવે ? કેમ જે, એને મૂળમાંથી વિદ્યાનથી તે આપે કયાંથી ?ગુરુ બિન જ્ઞાન નહિ, ગુરુ બિન ધ્યાન નહિ;ગુરુ બિન આત્મવિચાર ન લહત હે.તેમ સદ્ગુરુ વિના કાંઇ નથી થાતુ. ‘તીન તાપકી ઝાલજર્યો , પ્રાની કોઇ આવે.’ એ સવૈયો બોલીને કહે, એવા સાધુનોસમાગમ કર્યે છૂટકો છે; તે કરવો, તે પણ ‘અર્થં સાધયામિ વાદેહં પાતયામિ’ એમ કરવો. ત્યારે રાજી થાય છે. તે સમાગમમાંતો એટલો ફેર પડે જેમ કાર્તિકસ્વામીએ પૃથ્વીની પ્રદક્ષિણા કરીને ગણપતિએ પાર્વતીના કહ્યાથી ગાયની કરી, તે પણ પૃથ્વીનીથઇ. જુઓ કેટલો ફેર પડ્યો ? ને કરોડ જન્મ સુધી અંતરદષ્ટિકરે ને ન થાય, તેટલું એક મહિનામાં થાય એવું આ સમાગમમાંબળ છે; માટે અમારો તો એ સિદ્ધાંત છે. ને મહારાજે પણકહ્યું છે જે, ‘કોઇક મિષ લઇને આવા સાધુ ભેળો જન્મ ધરવોએમ ઇચ્છીએ છઈએ.’ એ તો આપણને કહ્યું છે. ।।૫૫।।