આ સત્સંગમાં ત્રણ પ્રકાર છે, સત્સંગી હોય તેને કુસંગીકરી નાખે, અંતરદષ્ટિ કરતો હોય તો બાહ્યદષ્ટિ કરાવે નેવ્યવહારમાંથી ઉદાસ હોય તો તેમાં ચોંટાડે; એવા પણ મંદિરમાંછે, માટે એને ઓળખીને ત્યાગ કરવો. એક તો ઇન્દ્રિયારામ ને એક અર્થારામ એવા છે. ને જો તે બેની વચ્ચે કોઇ પથારીકરે, તો છ મહિના થાય ત્યાં વિમુખ કરી નાખે; તેને પણઓળખીને તેનો સંગ ન કરવો, ને ગરાસિયાની ઘોડ્યે અંતરમળવા દેવું નહિ. ને અર્થારામ સાથે અંતર મળ્યું કે ભૂંડું થયું.એ બેયને મૂકીને આપણે તો આત્મારામ થાવું. ।।૫૮।।