વળી ખાધાનું, પથારી, ચેલા ને પદાર્થ તેને અર્થે જે ઉદ્યમએ કાઇં સાધુનો માર્ગ નહિ. એ માર્ગચૂકયા તો વળે વળી ગઇ,તે માટે જ્ઞાન શીખવું, તે વિના બીજું કાંઇ રાત્રીપ્રલયમાં નહિરહે. ને જ્ઞાન તો મહાપ્રલયમાં પણ જાવાનું નહિ; ને તે જ્ઞાનતો આપણે છે. આ આમાં આટલું રહ્યા છીએ ખરા, પણ વનમાંરહિએ તોપણ સુખ રહે; ને એક ટાણું રોટલો જોઇએ ને એકગોદડી હોય તો બીજું વસ્ત્ર ન જોઇએ. વનમાં રહેતા ત્યારે આગોદડીભર રહેતા; તેમાં ટાઢ્ય હરે, તડકો હરે ને વરસાદ પણબે પછેડીવા હરે; પછી શું જોઇએ ? એવા સ્વભાવ પાડ્યા હોયત્યારે થાય; નીકર તો જેમ – ‘આસનથી ઉઠાડતાં જાણે જગાડ્યોમણિધરજી’ નાગને છેડે તેમ થાય. માટે જ્ઞાન શીખવું. ।।૫૯।।