જેને આ સત્સંગ મળ્યો તેના પુણ્યનો પારાવાર નથી. નેઆ સમાગમનું ફળ તો આગળ અવિનાશી મળશે. ને અજ્ઞાનેકરીને તો એમ થાય. તે શું જે,‘ખટરસમાં રહ્યા ને જલેબીમાંગયા!’ પણ આજ્ઞા કરે તેમ રહેવું તે –

થરથર ધ્રૂજત રહત વચનમેં શશી અરુ સુરા;

થરથર ધ્રૂજત રહત વચનમેં કાળ હજૂરા.

માટે આજ્ઞામાં સુખ છે, ને કર્મવશે કરવું પડે છે તે કરતાંજો આજ્ઞાએ કરે તો એના જીવમાં સુખ થાય. ।।૬૧।।