આ ભગવાન તો જેમ –
કિયાં કીડી કરી મેળાપ, ભેળું થાવા ભારે ભેદ છે રે;
કિયાં પૂર્ણ પુરુષોત્તમ આપ, કિયાં જીવ જેને બહુ કેદ છે રે.
એવા મળ્યા છે. માટે સો વાતનું ગમતું મૂકીને આજ્ઞાપ્રમાણે વર્તવું. ‘સો માથાં જાતાં રે સોંઘા છોગાળા’ બીજું ‘એકશિરકે વાસ્તે કયું ડરત હે ગમારા ?’ હવે તો ખરેખરું મંડવું,‘સતી મટી કૂતી કાવે’ એ કીર્તન બોલીને કહે કે એમ પાછાપગ ભર્યે શું થાય ? તે સારુ સન્મુખના લેવા. ।।૬૨।।