શાસ્ત્રમાં મુખ્ય ‘અહિંસા ને બ્રહ્મચર્ય’ એ બે ધર્મ કહ્યાછે; તે અહિંસા તે શું ? તો કાંઇક પદાર્થ જોતું હોય ને ગૃહસ્થપાસે માગીએ ને તેનાથી ન અપાય તો હિંસા થઇ. ને કોઇપદાર્થ ન જોઇએ ત્યારે અહિંસા પળે, ને કોઇએ ન કચવાય,ને અહિંસા ને બ્રહ્મચર્ય તો નેત્ર, કાન, નાક, હાથ, પગ આદિકઅંગ સાચવીએ ત્યારે પળે. ને હાથ, પગ આદિક ઇન્દ્રિયોએસહિત આવો દેહ કયાંથી મળે ! આતો ભગવાનને ભજયાનોસાજ છે, તે વૃથા ખોઇ નાખવો નહિ. લેખે લગાડે તેને ડાહ્યાકહ્યા છે, નીકર તો પશુ જેવા જાણવાં.આ દેહ તો હમણાં પડ્યો જાણવો ! ને જેમ આઘડિયાળના ડંકા વાગે છે તેમ કાળ આવરદાને ખાઇ જાય છે,પણ આ જીવ તો ભૂલી ગયો છે, તે ઉપર ‘ગર્ભવાસમાં તું શુંકહીને આવ્યો રે’ એ કીર્તન બોલાવીને કહે, શું પછી લાકડીલઇને મારે ? ને જીવ તો જાણે છે જે, આ બધું કોઇકને માથેછે, પણ એમ નથી જાણતો જે, મારે માથે છે. ને ગર્ભવાસ,જન્મ, મરણ, ચોરાશી એ તો ઊભાં છે. માટે આવો સમાગમકરીને એને ટાળી નાખવાં, ત્યારે નિર્ભય થાય. ।।૬૩।।