કરોડો રૂપિયા હશે તે કાંઇ કામ નહિ આવે, તે જયાં હશે ત્યાં એમ થાશે ને એમ જાશે, ને આગ્રામાં અઢાર કરોડ રૂપિયાનું કબ્રસ્તાન કર્યું છે, પણ એટલા રૂપિયાના ઘઉં લઇને ભગવાન ભજયા હોય ને કથા કરી હોય તો કેટલી શાંતિ થાય ? ઘણા સાંતી તો સો વધારીએ પણ એણે શું થાય ? દુઃખ થાય. એ સાધુનો માર્ગ નહિ, ને કથાએ તો કેટલો સમાસ થાય જે ઓલી છાવણીમાં કેટલી નોખી રસોઇઓ નીકળી ગઇ , નોખા આસન નીકળી ગયાં, એમ પડઘા પડે. અને દ્રવ્ય તો ભેળું કર્યું કે આપ્યું તે રહેતું નથી; નસીબમાં હોય તો રહે. માટે નિષ્કામી થાવું, નિર્લોભી થાવું, નિઃસ્વાદી થાવું; ત્યારે ભગવાન રાજી થાય. ।।૬૬।।