ગાડી સારુ જે આશા રાખે છે તેમાં શું છે ? તેણે ભજનતો થાતું નથી અને અકળાય છે. જેમ ‘બાવરો બેસાડ્યો વળી વહાણે રે’ એમ ન કરવું. એનુ તો મોટા સાધુને પૂછવું જે, ‘મને આમ થાય છે, તે મારા જીવનું સારું થાય તેમ કહો.’ ‘હું બલહારીએ વૈરાગ્યને’ અહો ! હું કોણ ? એમ વિચારવું. એવો ઠરાવ કરવો તે ખરો કહેવાય. ।।૬૮।।