વળી આ શરીર તો માટીનો ઢગલો છે, તે સાજું હોયત્યાં સુધી કીર્તન કે ભજન થાય. ને ‘શનૈઃ શનૈઃ પંથાઃ ’ જેમરાજાના દીકરાને એક દિવસે ઝાઝું ખવરાવે તેમાં મોટો ન થાય,ને રોજ ભૂખ પ્રમાણે ખવરાવે તો વધે. એમ જ્ઞાન પણ ધીરેધીરે સમાગમે થાય છે. ને જોગ વિના રસોઇ થાય નહિ, એમજોગ વિના પ્રભુ ભજાય નહિ. ને જે વાતો સાંભળે તે વૃદ્ધિપામે. નીકર તો ઝાઝું ખાય તો ઊંઘ ઝાઝી આવે, ને શું કાંઇખાઇ ખાઇને સૂઇ રહેવાને ભેળા થયા છઈએ ? તે આજ, કાલ,મહિનેકે છ મહિને સાધુનો સમાગમ કર્યે છૂટકો છે. ।।૬૯।।