એકલિયાની પણ કાળાખરિયું ચાલી આવી છે, તે સારુભલે વ્યવહાર થોડો થાય પણ એકલિયા ઝાઝા કરવા નહિ. નેઆ અમારે તો એક છે તોપણ થરથર બીએ છઈએ જે, કાંઇકફાદ ઊઠશે. અને અર્થી દોષાન્ ન પશ્યતિ એમ છે. બબ્બેત્રણ વર્ષ સુધી ફરવા કાઢે છે, તેમાં પણ તેનાં અંતર ફરી જાયછે; તેની ફીકર રાખવી ને વારંવાર ભેળા કરીને વાતો કરીએત્યારે ઠીક રહે છે, તે પણ જાણ્યું જોઇએ. ગૃહસ્થને બાયડી,છોકરો, રૂપિયા ને ખાવું એ બંધનકારી, ને ત્યાગીને દહે , ઇન્દ્રિયો,ચેલો ને ખાવું એ બંધનકારી. માટે એમાં લેવાવું નહિ. ।।૭૪।।