આ તો કરોડ મણ સૂતરની આંટીઓ ઘુંચાઇ ગઇ છે તે કેમ ઊખળે ? કોઇ દાખડો કરે તો પણ ન ઊખળે, પણ જો આ બ્રહ્માંડ જેવડો ફાળકો કરે તો સહેજ ઊખળે. એમ જીવ ઘુંચાઇ ગયો છે, પણ ભગવાન ભજે તો ઊખળે. ।।૨૭૪।।