વળી સત્સંગિજીવનનો સાર મહારાજે શ્રી વાસુદેવવિમલામૃત ધામવાસં એ સ્તોત્ર કાઢ્યું છે ને તેનો સાર છેલ્લોશ્લોક છેઃ

ધર્મસ્ત્યાજયો ન કૈશ્ચિત્ સ્વનિગમવિહિતો વાસુદેવે ચ ભકિતર્દિવ્યાકારે વિધેયા સિતઘનમહસિ બ્રહ્મણૈકયં નિજસ્ય ।

નિશ્વ્ચિત્યૈવાન્યવસ્તુન્યણુમપિ ચ રતિં સમ્પરિત્યજય સન્તસ્તન્માહાત્મ્યાય સેવ્યા ઇતિ વદતિ નિજાન્ધાર્મિકો નીલકણ્ઠઃ ।।

તે પ્રમાણે રહે તો બહુ સારો થાય. ને આશરો દઢ રાખવો,વ્યભિચારિણી ભકિત કરવી નહિ, ને નિષ્કામ ભકત થાવું. ઉત્તમપતિવ્રતાના લક્ષણ તો કેને કહીએ ? જે કોઈ દેવ, દેવી કે ઇશ્વરાદિકનોલગારે ભાર પડે નહિ. એવા ભકત મહારાજ કહે, ‘અમને બહુ ગમેછે.’।।૭૮।।